આજે વડાપ્રધાન મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ રાજ્યમાં 19800 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતાં. ત્યાંથી તેઓ કોબા તીર્થ જવા માટે રવાના થયા હતાં. તેમનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતાં.ગાંધીનગરના કોબા જૈન તીર્થ ખાતે ઈતિહાસ, સંસ્કૃતિ અને શ્રદ્ધાનો પવિત્ર સંગમ રચતા સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. તેમણે પ્રદર્શન સ્થળની મુલાકાત લીધી હતી અને મહારાજ સાહેબના આશિર્વાદ પણ મેળવ્યા હતાં.