ભાવનગરમાં ડિસ્ટ્રીક્ટ જજ અને વકીલ વચ્ચે જાહેરમાં વિવાદ સર્જાયો હતો. બાર કાઉન્સિલ ગુજરાતમાં વિજય મળતા વકીલ અનિરુદ્ધસિંહ ઝાલાનું રૂપમ ચોકથી કોર્ટ સુધી વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. સરઘસ કોર્ટ નજીક પહોંચતા ડિસ્ટ્રીક્ટ જજ એચ. એસ. મૂલીયા કોર્ટમાંથી નીચે આવી પહેલા અભિનંદન પાઠવ્યા હતા, પરંતુ ત્યારબાદ ઢોલ-નગારા બંધ કરવા સૂચના આપતા મામલો ઉગ્ર બન્યો હતો. ઢોલ-નગારા બંધ કરવાની વાતને લઈ જજ અને વકીલ વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી, જેના કારણે ત્યાં હાજર લોકોમાં ચકચાર મચી ગઈ હતી.
