નવા માલકનેસ ગામે ખેડૂતના ભાગીદાર વાડીએ મકાનની છત પર રખોપું કરી રહેતા હતા અને તે દરમિયાન અચાનક સિંહે આવીને હુમલો કર્યો હતો, નવા માલિકનેસ ગામના મનુંભાઈ સુખાભાઈ જાદવ (ઉ.વ.૪૫) પર સિંહ કર્યો હતો હુમલો અને માથાના ભાગે સામાન્ય ઇજાઓ થતા 108ની મદદથી સારવાર અર્થ ખાંભા બાદ અમરેલી ખસેડાયા છે, આ ઘટનાને પગલે ખાંભા વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.