રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી માળખામાં મોટો ફેરફાર કર્યો છે. સમગ્ર રાજ્યમાં 37 મામલતદારોની બદલીનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 165 લોકોને મામલતદાર તરીકે બઢતી સાથે બદલી પણ આપી છે. આ અંગે ગાંધીનગરથી અધિકારીક આદેશ આપવામાં આવ્યો છે. બઢતી તથા બદલીના આદેશ કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી માળખામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સચિવાલય, ગાંધીનગર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, સમગ્ર રાજ્યમાં 37 મામલતદારોની બદલી કરવામાં આવી છે. આ સાથે, મહેસૂલ સેવામાં લાંબા સમયથી ફરજ બજાવતા 165 નાયબ મામલતદારોને મામલતદાર (વર્ગ-2) તરીકે બઢતી આપીને નવી નિમણૂંકો સોંપવામાં આવી છે.