સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં દુકાનદારના પરિવાર પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. આરોપ છે કે કેટલાક લુખ્ખા તત્વો દર મહિને વેપારી પાસેથી પૈસાની ઉઘરાણી કરતા હતા. વેપારીએ રૂપિયા આપવાનો ઇનકાર કરતા 4થી 5 શખ્સોએ તેના ઘરે પહોંચી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ વેપારીના ઘરે ઘુસી મંગળસૂત્ર લૂંટી લીધાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ પરિવાર અને દીકરાને મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે. હુમલામાં વેપારી અને તેની પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.