સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સતત ત્રીજા દિવસે પણ હોટલ રેસ્ટોરન્ટમાં તપાસ યથાવત રાખવામાં આવી છે. 280 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ કરીને 1413 કીલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો છે. તપાસ દરમિયાન 148 હોટલ અને રેસ્ટોરન્ટોને આપવામાં આવી છે નોટિસ. જેમાં તાકીદે 14 હોટલ અને રેસ્ટોરન્ટોને બંધ કરવામાં આવી છે. તે સાથે સ્થળ ઉપર જ રૂપિયા 4.99 લાખનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો છે. સતત ત્રીજા દિવસે કાર્યવાહી હોવા છતાં ભેળસેળિયા સુધરવાનું નામ નથી લઈ રહ્યા.