અમરેલીના સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં ચાર કલાકમાં ભૂકંપના સાત આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો છે. મીતીયાળા પંથકમાં ભાડ, નાનુંડી, ધજડી, સાકરપુરા અને વાંકિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.સવારે 4.15 મિનિટે 1.8 તીવ્રતા, સવારે 4.16 મીનીટે 2.3ની તીવ્રતા, સવારે 4.24 કલાકે 1.0ની તીવ્રતા, સવારે 4.57 મીનીટે 1.4ની તીવ્રતા, સવારે 7 કલાકે 2.2ની તીવ્રતા, સવારે 7.15 મિનિટે 3.58ની તીવ્રતા અને સવારે 7.51 મિનિટ 1.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિ.મી દૂર હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.







































































































