ગુજરાતમાં હજુ ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં ગુજરાતમાં જળ સંગ્રહમાં ઘટાડો નોંધાયો છે. ચોમાસામાં સામાન્યથી અતિ વધારે વરસાદના લીધે 21 નવેમ્બરની સ્થિતિએ સૌરાષ્ટ્રમાં 90 ટકા સહિત એકંદરે 99.99 ટકાનો જળસંગ્રહ હતો..શિયાળાના ચાર માસના અંતે અને ઉનાળાની શરુઆત સુધીના ચાર માસમાં જ 27 ટકાનો અને સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 35 ટકાનો ઘટાડો નોંધાયો છે. હાલ રાજ્યમાં એકંદરે 68.96 ટકા અને સૌરાષ્ટ્રમાં માત્ર 54.95 ટકા પાણીનો સ્ટોરેજ છે.46 ડેમોમાં હાલ 25 ટકાથી ઓછું પાણી, સૌરાષ્ટ્રના 7 ડેમો સુકા મેદાન બન્યા છે તો સરદાર સરોવરમાં 73 ટકા જળસંગ્રહ છે.







































































































