આવતીકાલથી સિંહોનું વેકેશન શરૂ થઈ રહ્યું છે. દર વર્ષે 16 જૂનથી ચાર માસ માટે સાસણ ગિર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે વરસાદની અનિયમિતતાને કારણે અભ્યારણ્ય એક સપ્તાહ મોડું બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જેના ભાગરૂપે 23 જૂનથી ગિર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન જંગલના રસ્તાઓની સ્થિતિ, વન્યજીવોની સુરક્ષા અને પ્રજનન પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને દર વર્ષે આ સમયગાળા દરમિયાન અભ્યારણ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. હવે આગામી ચાર મહિના સુધી પ્રવાસીઓ ગિરના જંગલ સફારીનો લાભ લઈ શકશે નહીં.