PM મોદીએ રાજયસભામાં જણાવ્યુ કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ યુદ્ધ ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી ચાલુ છે. તેણે સમગ્ર વિશ્વને ગંભીર ઉર્જા સંકટમાં ધકેલી દીધું છે. તેની અસર ભારત પર પણ પડી રહી છે. લગભગ એક કરોડ ભારતીયો ખાડી દેશોમાં રહે છે અને કામ કરે છે; તેમના જીવનનું રક્ષણ કરવું એ ભારત માટે ચિંતાનો વિષય છે. હાલમાં મોટી સંખ્યામાં જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા છે, અને તેમના મોટાભાગના ક્રૂ સભ્યો ભારતીય નાગરિકો છે. આ પણ ભારત માટે ચિંતાનો વિષય છે. આ પરિસ્થિતિઓમાં, ભારતીય સંસદના આ ઉપલા ગૃહ તરફથી વિશ્વને સંવાદનો સંદેશ પહોંચાડવો આવશ્યક છે. અમે ખાડી દેશો સાથે સતત સંપર્કમાં રહીએ છીએ. અમે ઈરાન, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે પણ સંપર્કમાં છીએ. અમે સતત તણાવ ઓછો કરવા અને હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો રાખવાની હિમાયત કરી છે. ભારતે નાગરિકો, નાગરિક માળખાગત સુવિધાઓ તેમજ ઊર્જા અને પરિવહન માળખાગત સુવિધાઓને નિશાન બનાવીને હુમલાઓની નિંદા કરી છે. આવા સમયે આપણે આત્મનિર્ભર થઇએ એ જ વિકલ્પ છે.







































































































