યુદ્ધની સ્થિતિ અને ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે અને કેરોસીન વિતરણના નિયમો હળવા કર્યા છે. કેન્દ્રના નવા નિર્ણય મુજબ હવે પેટ્રોલ પંપો પર કેરોસીનનું વિતરણ કરાશે. એટલે કે હવે દરેક જિલ્લામાં બે પેટ્રોલ પંપો કેરોસીનનું વિતરણ કરવામાં આવશે. સાથે જ દરેક પેટ્રોલ પંપ 5 હજાર લીટર સુધી કેરોસીનનો સ્ટોક રાખી શકશે. પેટ્રોલિયમ અધિનિયમ, 1934 અને પેટ્રોલિયમ નિયમો, 2002 હેઠળ આપવામાં આવેલી સત્તાનો કેન્દ્ર સરકારે ઉપયોગ કર્યો છે અને 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેટલાક નિયમોમાં અસ્થાયી છૂટછાટ આપવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.







































































































