ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા થયેલા હુમલામાં ભારતમાં ક્રુડ ઓઈલ અને રાંધણ ગેસ સહિતના પુરવઠાની તંગી સર્જાઈ છે. જેથી ગેસનો પુરવઠો લઈને બે જહાજ ભારતમાં પહોંચી ગયા છે. જામનગરના વાડીનારના દરિયામાં નંદાદેવી જહાજ આવી પહોંચ્યું છે. આ જહાજમાં 46 હજાર મેટ્રિક ટન એલપીજી લાવવામાં આવ્યો છે. બે દિવસમાં બે જહાજ LPG ગેસ લઈને ભારત પહોંચ્યા છે. નંદાદેવી LPG કેરિયર જહાજ ગુજરાતના જામનગર ખાતે આવેલ વાડીનાર પોર્ટ પર પહોંચ્યું છે.







































































































