કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં યોજાયેલી એક જાહેર સભાને સંબોધતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પોતાના ભાષણ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને “ગદ્દાર” ગણાવ્યા હોવાનો આરોપ છે. તેમણે વધુમાં કહ્યું કે આરએસએસ-ભાજપ સાથે જોડાયેલા લોકો દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છે અને ભાજપે દેશને વેચવાનું કામ કર્યું છે, એવું નિવેદન તેમણે રાયબરેલીની જાહેર સભામાં આપ્યું હતું.