પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે સર્જાયેલા વૈશ્વિક સંકટ પર નરેન્દ્ર મોદી એ ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે અનેક દેશો હાલમાં ખાદ્ય પદાર્થો, પેટ્રોલ-ડીઝલ અને ગેસની અછતનો સામનો કરી રહ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત આ પડકારજનક પરિસ્થિતિનો પૂરી તાકાતથી સામનો કરી રહ્યું છે અને દેશના સામાન્ય નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. PM મોદીએ વધુમાં ઉમેર્યું કે આવી મુશ્કેલ સ્થિતિ હોવા છતાં ભારતે પોતાના વિકાસની ગતિ જાળવી રાખવામાં સફળતા મેળવી છે.

દુનિયામાં ઈંધણનુ સંકટ, પડોશીઓ મુશ્કેલીમાં, પીએમ મોદીના નેતૃત્વમાં આપણું બધું બરાબર છે: યોગી આદિત્યનાથ

જેવર એરપોર્ટના લોકાર્પણ પ્રસંગે જાહેર સભાને સંબોધતા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ “વંદે માતરમ” અને “હર હર મહાદેવ” ના નારા સાથે પોતાનું સંબોધન શરૂ કર્યું. મુખ્યમંત્રી યોગીએ કહ્યું, “પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે.” તેમણે કહ્યું કે, હાલમાં, સમગ્ર વિશ્વમાં અશાંતિ છે. હાલમાં, દુનિયામાં ઈંધણનું ભારે સંકટ છે, અને પડોશી રાષ્ટ્રો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવા સમયે પીએમ મોદીના નેતૃત્વમાં, અહીં કોઈ જ મુશ્કેલીઓ નથી.