દેશમાં ઊર્જા સંકટ વચ્ચે ભારત માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. 94 હજાર મેટ્રિક ટન LPG સાથે વધુ 2 જહાજ ભારત પહોંચી રહ્યા છે.. જેમાં BW TYR અને BW ELM નામના બે જહાજનો સમાવેશ થાય છે.. આ બંને ભારતીય જહાજોએ હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું છે. BW TYR જહાજ 31 માર્ચ સુધીમાં મુંબઈ પહોંચે તેવી શક્યતા. જ્યારે BW ELM નામનું જહાજ 1 એપ્રિલ સુધીમાં ભારત આવી શકે.. શક્ય છે કે આ બંનેમાંથી એક જહાજ ગુજરાતના કચ્છ નજીક આવેલા મુન્દ્રા પોર્ટ પર પહોંચશે. તો દરિયામાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નૌસેનાના પાયલોટિંગ સાથે જહાજ લવાઇ રહ્યા છે.







































































































