પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું, “હું પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ભારત પર તેની અસર અંગે ચર્ચા કરવા માટે આ ગૃહમાં આવ્યો છું. હાલમાં ત્યાંની પરિસ્થિતિ ચિંતાજનક છે. જયશંકરજીએ ગૃહને મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી છે. આ કટોકટી ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહી છે. લોકોના જીવન પર પ્રતિકૂળ અસર પડી રહી છે. આખી દુનિયા તમામ પક્ષોને આ મુદ્દાને ઝડપથી ઉકેલવા વિનંતી કરી રહી છે.”










