ગુજરાતના લોકો શિક્ષિત છે
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી જે બોલે છે તે કરીને બતાવે છે. મુખ્યમંત્રીએ કોંગ્રેસના પ્રમુખ ખડગેને ટોણો મારતા કહ્યું હતું કે, અમે તો બધા ભણેલા ગણેલા જ છીએ. ગુજરાતના લોકો શિક્ષિત છે. પરંતુ કોંગ્રેસના પ્રમુખને ખબર નથી. આજે સમગ્ર દેશની જનતા વડાપ્રધાન મોદી પર વિશ્વાસ રાખી રહી છે. આપણે કોઈપણ સ્થિતિમાં ડર્યા વિના આગળ વધવાનું છે.તેમણે કહ્યું હતું કે, ગુજરાતના લોકો શિક્ષિત છે તે કોંગ્રેસના અધ્યક્ષને ખબર નથી. આપણે તો ભણેલા ગણેલા છીએ. ખડગેએ કેરળાં સભા સંબોધતા ગુજરાતીઓને અભણ કહ્યા હતાં.ખડગેના નિવેદન બાદ ભારે રોષ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી સહિતના નેતાઓએ નિવેદનને વખોડ્યું હતું. ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું હતું.










