સુરત શહેરમાં આવેલા આત્મીય સંસ્કારધામમાંથી બે વિદ્યાર્થીનીઓના આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સણિયા કણદે રોડ પર આવેલા સંસ્કારધામના બાથરૂમમાંથી 18 વર્ષની રોશની અને 20 વર્ષની જ્યોત્સનાના મૃતદેહ મળી આવ્યા હતા. માહિતી મુજબ બંને વિદ્યાર્થીનીઓ સવારે કોલેજ જવા માટે નીકળી હતી પરંતુ ત્યારબાદ ઘરે પરત ફરી ન હતી. પરિવારજનો દ્વારા વારંવાર ફોન કરવામાં છતાં ફોન ન ઉપાડતા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સંસ્કારધામના બાથરૂમમાંથી બંનેના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં બંને વિદ્યાર્થીનીઓએ આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે. ઉપરાંત બંને વિદ્યાર્થીનીઓ બાથરૂમ તરફ જતા હતા તેવા દૃશ્યો સીસીટીવીમાં પણ સામે આવ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
























