દ્વારકા વિસ્તારમાં ગેરકાયદે માછીમારી સામે SOG દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરીને લાઈન ફિશિંગ કરતી કુલ 55 બોટોને ઝડપી પાડવામાં આવી, જેનાથી સમુદ્રી જીવસૃષ્ટિને ભારે નુકસાન થઈ રહ્યું હતું. ખાનગી બોટની મદદથી દરિયામાં આશરે 8 નોટિકલ માઈલ સુધી તપાસ કરવામાં આવી હતી. વધુ નફો કમાવાની લાલચે માછીમારો ચાર જેટલા ગ્રુપ બનાવીને ગેરકાયદે રીતે માછીમારી કરતા હોવાનું બહાર આવ્યું છે. આ મામલે બોટ માલિકો અને ટંડેલાઓ સામે ફિશરીઝ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.