અમદાવાદમાં થયેલી દુઃખદ પ્લેન ક્રેશ ઘટનાને લઈને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે અકસ્માતની તપાસનો અહેવાલ ખૂબ જ ઝડપથી જાહેર કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે માત્ર તપાસ પૂર્ણ કરવી જ નહીં, પરંતુ ઘટનાનું સાચું કારણ અને સત્ય બહાર આવે તે વધુ મહત્વનું છે. રામ મોહન નાયડુએ જણાવ્યું કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) સંપૂર્ણ પારદર્શિતા સાથે તપાસ કરી રહ્યું છે અને દરેક પાસાની ગંભીરતાથી તપાસ કરીને તથ્યાધારિત અહેવાલ રજૂ કરવામાં આવશે.















































