રાજકોટમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાતા લોકમેળાનું નામ જિલ્લા કલેક્ટર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. લોકમેળાને ‘વિરાસતથી વિકાસ’ નામ આપવામાં આવ્યું છે. રાજકોટના અમિત કુકડિયાએ આ નામ સૂચવ્યું હતું, જેને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પસંદ કરવામાં આવ્યું છે.




















