અમદાવાદમાં, CNG ગેસમાં ભાવવધારાના વિરોધમાં રિક્ષા ચાલકોની હડતાળનુ એલાન આપવામાં આવ્યું છે. પ્રગતિ રીક્ષા એસો.ની 2 દિવસની હડતાળની જાહેરાતને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. શહેરના અમુક વિસ્તારને બાદ કરતાં તમામ વિસ્તારમાં રીક્ષા વ્યવહાર ચાલુ રહ્યો છે. રીક્ષા ચાલક યુનિયન વેજલપુર વિસ્તારમાં રીક્ષાઓ કરાવી રહ્યા છે બંધ. મુસાફર ભરેલી રીક્ષાઓને રોકી હડતાળમાં જોડાવવા જણાવવામાં આવી રહ્યું છે. રીક્ષાઓ બંધ કરાવતાં, તેમા બેઠેલા મુસાફરોને પડી રહી છે ભારે મુશ્કેલીઓ.