વિસનગર તાલુકાના વાલમ ગામે યોજાયેલા ‘હાથીયા મહોત્સવ’ દરમિયાન બળદ જોડવાના વારા મુદ્દે બે જૂથ વચ્ચે તણાવ ઊભો થઈ અથડામણ સર્જાઈ હતી. આ ઘટના દરમિયાન બંને પક્ષ વચ્ચે ચપ્પુ અને લાકડી જેવા હથિયારો વડે સામસામે હુમલા થયા હોવાનું સામે આવ્યું છે. અથડામણ બાદ બંને પક્ષે એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે જાહેરનામાના ભંગ બદલ ચારથી વધુ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે બે દિવસ પહેલા પણ આ જ મુદ્દે બંને પક્ષ વચ્ચે વિવાદ સર્જાયો હતો, જે બાદ પરિસ્થિતિ વધુ તંગ બની હતી.





















































































































