વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં મામલતદાર ડી.સી. બ્રહ્માકાછે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. મળતી માહિતી મુજબ ડી.સી. બ્રહ્માકાછ ચૂંટણી કામગીરીમાં પણ જોડાયેલા હતા. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.























































































































