જામનગરના રણમલ તળાવમાં ડૂબી જવાથી બે કિશોરોના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે. બંને કિશોરો ગઈકાલે સાંજથી ગુમ હતા, ત્યારબાદ આજે તળાવમાંથી તેમના મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ દુર્ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.