ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં છેલ્લા 24 કલાકમાં પડેલા આશરે 2 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું છે. નવાગામ અને કરાવેલ ગામને જોડતા માર્ગ પર બ્રિજની કામગીરી દરમિયાન બનાવવામાં આવેલ ડાયવર્ઝન વરસાદી પાણીમાં ધોવાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. તંત્રની ધીમી કામગીરીને કારણે ચાર ગામોના લોકોને આશરે 15 કિલોમીટરનો લાંબો ફેરો કરીને અવરજવર કરવાની ફરજ પડી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.