વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના સરણેજ ગામ પાસેથી પસાર થતી નર્મદા મેઈન કેનાલમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધમાં નિષ્ફળતા અથવા અન્ય કોઈ સામાજિક કારણોસર એક પ્રેમી યુગલે એકબીજાને ઓઢણીથી બાંધીને કેનાલમાં મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.











































































































































































