ઉત્તરાખંડમાં આવેલા પવિત્ર કેદારનાથ મંદિરના કપાટ શુભ મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તો માટે ખોલવામાં આવ્યા. કપાટ ખુલતા જ ‘જય બાબા કેદાર’ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષોથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું. દેશભરના મોટી સંખ્યામાં ભાવિકો બાબા કેદારના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. આ અવસરે મંદિરને લગભગ 51 ક્વિન્ટલ ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું, જેનાથી આખું ધામ દિવ્ય અને આકર્ષક લાગી રહ્યું હતું.































































































































