ભારતે ભૂકંપથી પ્રભાવિત વેનેઝુએલાની મદદ માટે ‘ઓપરેશન એમિસ્ટાડ’ શરૂ કર્યું છે. આ રાહત મિશન હેઠળ ભારતીય વાયુસેનાના બે ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા 30 ટન રાહત સામગ્રી વેનેઝુએલા મોકલવામાં આવી છે. સાથે જ 41 સભ્યોની તબીબી અને રાહત ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. મોકલાયેલી સામગ્રીમાં 6 ટન દવાઓ અને તબીબી સાધનોનો સમાવેશ થાય છે, જેનાથી ભૂકંપ પીડિતોને તાત્કાલિક મદદ મળી શકશે.