નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને પૂર્ણા નદીની સપાટીમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર એક્શનમાં આવ્યું છે. સંભવિત પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે નવસારીના રામજી મંદિર ખાતે 2 હજારથી વધુ ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં જરૂરિયાત ઊભી થાય તો અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક ભોજન મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે રાહત અને બચાવ કામગીરી માટે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે તેમજ નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.































































































































































































