અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 15 નવી સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરશે. સાથે જ 100 શાળાઓને ‘શતાબ્દી શાળા’ પુરસ્કાર સાથે રૂ. 1 લાખની ધનરાશિ એનાયત કરવામાં આવશે. 5000 શિક્ષકોમાંથી પસંદ કરાયેલા 100 શિક્ષકોને ‘સદીનાં સિતારા’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકાની 80 ટકા શાળાઓ હવે આધુનિક સુવિધાઓથી સજ્જ બની ગઈ હોવાનું જણાવાયું છે.