દેશમાં વધતા સરકારી ખર્ચ અને ઈંધણ બચતને ધ્યાનમાં રાખીને PM મોદીએ મોટો નિર્ણય લીધો છે. અહેવાલો મુજબ તેમણે SPGને પોતાના કાફલામાં 50 ટકા વાહનો ઘટાડવાના નિર્દેશ આપ્યા છે અને સાથે જ ઈલેક્ટ્રિક વાહનો (EV)ના વધુ ઉપયોગ પર ભાર મૂક્યો છે. SPG દ્વારા આ સૂચનાઓ પર અમલ શરૂ કરાયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. PM મોદીએ મંત્રીઓ અને વિવિધ સરકારી વિભાગોને પણ ખર્ચમાં કાપ મૂકવા અને ઈંધણ બચત માટે અસરકારક પગલાં લેવા સ્પષ્ટ સંદેશ આપ્યો છે.