સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ અને ભ્રામક માહિતી સામે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે કોઈપણ પ્રકારની ભ્રામક કે અફવાજનક માહિતી ફેલાવનારાઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી છે. અફવા ફેલાવનારાઓ સામે કડક પગલાં લેવા સાથે ભ્રામક માહિતી ફેલાવનારાઓ વિરુદ્ધ FIRનો દૌર શરૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.