પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ નિમિત્તે ઐતિહાસિક શિવધામો ભવ્ય શણગારથી ઝળહળી ઊઠ્યા છે. જામનગરના ભીડભંજન મહાદેવ અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે ફૂલો અને રંગબેરંગી રોશનીથી મનોરમ દ્રશ્યો સર્જાયા છે. પવિત્ર શ્રાવણ માસમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં શિવભક્તો મંદિરોએ ઉમટ્યા છે. પ્રાચીન અને ઐતિહાસિક શિવધામોના કારણે જામનગર શહેરની ‘છોટી કાશી’ તરીકે અનોખી ઓળખ થાય છે.