મહારાષ્ટ્રમાં દહીં હાંડી ઉત્સવ પહેલા, રાજ્ય સરકારે ‘ગોવિંદાઓ’ (માનવ પિરામિડ બનાવીને દહીહાંડી ફોડનારના સહભાગીઓ) માટે એક મહત્વપૂર્ણ લાભની જાહેરાત કરી છે. સરકારે 1,60,000 ગોવિંદાઓને રૂ. 10 લાખનું વીમા કવરેજ પૂરું પાડશે. સરકારી આદેશ અનુસાર, અકસ્માતમાં મૃત્યુ અથવા બંને હાથ, બંને પગ અથવા બંને આંખો ગુમાવવાના કિસ્સામાં રૂ. 10 લાખનું વીમા કવર પૂરું પાડવામાં આવશે. એક હાથ, એક પગ અથવા એક આંખ ગુમાવવા માટે રૂ. 5 લાખનું વળતર આપવામાં આવશે. કાયમી સંપૂર્ણ અપંગતા માટે રૂ. 10 લાખ, અને કાયમી આંશિક અપંગતાના કિસ્સામાં વળતર વીમા પોલિસીની જોગવાઈઓ અનુસાર આપવામાં આવશે.