ફકરો: જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના હરિગણીવન નજીક અમરનાથ યાત્રાળુઓને લઈ જતી બસ અકસ્માતનો ભોગ બની ખીણમાં ખાબકી હતી. બસમાં કુલ 50 યાત્રાળુ સવાર હતા, જેમાંથી અકસ્માતમાં આશરે 30 જેટલા યાત્રાળુઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ આર્મી, CRPF અને ITBPની ટીમોએ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી. તમામ ઘાયલોને સારવાર માટે કંગન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.